કન્નૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગ્રા તરફ જઈ રહેલી ડબલ ડેકર બસ ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ (ડબલ ડેકર બસ અકસ્માત). આ અકસ્માત સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારની ઔરૈયા બોર્ડર પર થયો હતો. આ અકસ્માતમાં અનેક મુસાફરોના મોતની આશંકા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ 6 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 40 થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માત સમયે ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. બસ પલટી ગયેલી જોઈ તે મદદ માટે આગળ તરત આવ્યા અને લોકોની મદદથી મંત્રીએ બસમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.
બસ પલટી જતાં પહેલાં પાણીની ટાંકી સાથે અથડામણ થઈ હતી
દુર્ઘટનાની માહિતી મળતાં જ કન્નૌજના એસપી અમિત કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને પાણીના ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. તેમણે કહ્યું કે પાણીના ટેન્કરો ડિવાઈડરની વચ્ચે રહેલા છોડને પાણી પીવડાવી રહ્યાં હતા ત્યારે બસ પલટી ખાય ગઈ અને ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી.
તેમણે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ સકરાવા પોલીસ સ્ટેશનની સાથે અન્ય પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech