જામનગરમાં પત્રકાર પુત્રની સ્મૃતિમાં યોજાયેલા રકત્તદાન યજ્ઞમાં 50 બોટલ જેટલું લોહી એકત્ર

  • March 06, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઇ લાલ રહ્યા ઉપસ્થિત


જામનગરના ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમ દ્વારા પત્રકાર પૂત્ર ગુંજનભાઇ ગણાત્રાની સ્મૃતિમાં સતત ચોથા વર્ષે આયોજીત કરાયેલા રકત્તદાન યજ્ઞમાં 50 જેટલા રકત્તદાતાઓએ રકત્તદાન કર્યું હતું. જેમાં મહિલાઓની સંખ્યા પણ ગણનાપાત્ર હતી.


શહેરમાં ડી.કે.વી.કોલેજ સર્કલ પાસે ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના કોમન હોલમાં જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલની બ્લડબેંક અને ગણાત્રા પરિવારના સહકારથી આયોજીત કરાયેલા આ રકત્તદાન કેમ્પમાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ મોદી, જયેશભાઇ પારેલીયા તેમજ આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


આ રકત્તદાન યજ્ઞ સાથે યોજાયેલા હેમોગ્લોબીન ચેકઅપનો લાભ પણ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમના હોદ્દેદારો રમેશભાઇ ગઢવી, પ્રણવસિંહ જાડેજા, ગિરીશભાઇ ગણાત્રા, વિપુલભાઇ દુદાણી તથા કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application