મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા: જામનગર ની પ્રખ્યાત 'અલમોઇન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા વિશેષ આયોજન
ગુજરાતના હજ્જયાત્રીઓની હજ્જ ની પવિત્ર યાત્રા ગત તા.૨૬.૦૫.૨૦૨૪ મે રવિવાર થી શરૂ થઇ છે. આ વર્ષે હજ્જ યાત્રીઓની ૨૧ ફ્લાઇટ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રેકોર્ડ અંદાજીત ૧૪,૦૦૦ હજ્જયાત્રીઓ હજ્જ યાત્રાએ જઇ રહ્યા છે. જે ગત વર્ષ કરતા ૫,૦૦૦ વધુ છે. ગયા વર્ષે ૯૩૦૦ હજ્જયાત્રીઓ હજ્જ યાત્રાએ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે હજ્જ યાત્રીઓ માટે ગુજરાતનો ક્વોટા લગભગ ૪,૦૦૦ છે. તેની સરખામણીમાં આ વર્ષે રાજ્યમાંથી ત્રણ ગણા વધુ હજ્જ યાત્રીઓ હજ્જ યાત્રાએ જઇ રહ્યા છે.
ગુજરાત ના જામનગર થી પ્રથમ વખત એવું બન્યું છે જે કોઇ દિવસ બન્યું નથી, ગત તા.૩૦.૦૫.૨૦૨૪ ગુરૂવાર ના રોજ, જામનગર ની જાણીતી અલમોઇન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ૫૦ હજ્જ યાત્રીઓ જામનગર એરપોર્ટ થી મુંબઇ અને મુંબઇ એરપોર્ટ થી મક્કા મદીના રવાના થયા છે. આ દરમ્યાન જામનગર એરપોર્ટ પર હજ્જ યાત્રીઓના સગા, સંબંધી તેમજ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ નો માહોલ ખૂબ જ અદભુત નઝારો જામ્યો હતો.
૨૦૦૮ થી કાર્યરત જામનગર ની જાણીતી અને ભરોસાપાત્ર અલમોઇન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જામનગર જીલ્લા સહિત દેવભૂમિ-દ્વારકા જીલ્લા અને રાજકોટ જીલ્લાના મુસ્લિમ બિરાદરો હજ્જ, ઉમરાહ અને ઝિયારત માટે પસંદ કરે છે. અલમોઇન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંચાલક હાજી મોઇન ઇકબાલભાઇ કુરેશી અને અબુસુફિયાન ઇકબાલભાઇ કુરેશી બંને ભાઇઓનો એક જ હેતું છે કે, મુસાફરોને કોઇ મુશ્કેલી 'ન' પડે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech