મોરબીમા લાંચ માગનાર તલાટી મંત્રીને ૪ વર્ષની કેદ

  • July 26, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતીલાલ વલ્લ ભદાસ રાવલે ફરિયાદ નોંધાવી હતી કે નવા સાદુળકા ગામે પત્ની ભારતીબેનના નામે જુના સાદુલકાના સર્વે નં ૨૭૨ પૈકી ૧ મુજબની બે એકર જમીન આવેલ છે જે ખેતીની જમીનના વેચાણ ર્એ જરૂરી ગામ નમુના નં ૬ ટાઈટલ ક્લીયર હક્ક પત્રક કાઢી આપવાની અવેજ પેટે તલાટી મંત્રીએ રૂ ૫૦ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ જમીન વેચાણની રકમ આવ્યા બાદ આપવાનું નક્કી યેલ પરંતુ ફરિયાદીએ સમયસર રકમ ના આપતા આરોપીએ તેના વેચાણ દસ્તાવેજ પ્રક્રિયામાં તકલીફ ઉભી કરવાની બીક બતાવી લાંચની રકમ તા. ૫-૦૧-૨૦૧૧ ના સાંજે પોતાના ઘરે આપી જવા વાયદો કર્યો હતો



જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેી એસીબીમાં ફરિયાદ કરી હતી એસીબી ટીમે છટકું ગોઠવી આરોપી તલાટીમંત્રીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો જે કેસ સ્પેશ્યલ જજ (એ.સી.બી) અને સેશન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લ ા સરકારી વકીલ વિજયકુમાર જાની અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ કોર્ટમાં ફરિયાદી પક્ષે ૭ મૌખિક અને ૪૨ દસ્તાવેજી પુરાવા તેમજ આરોપી પક્ષના ૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરીયાને કસુરવાન ઠેરવ્યો હતો


કોર્ટે આરોપી તલાટીમંત્રીને કસુરવાન ઠેરવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭ માં તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૩૦ દિવસની કેદની સજા ફટકારી છે જયારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩ (૨) સો વાંચતા કલમ ૧૩ (૧) (ઘ) મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૪ વર્ષની કેદની સજા અને રૂ ૧૫,૦૦૦ દંડ તેમજ દંડની રકમ ના ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application