બિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી

  • July 03, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​સારણ જિલ્લાના જનતા બજારમાં વર્ષ 2004-05માં બનેલો પુલ ધરાશાયી થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પુલ વરસાદ બાદ ગંડક નદીમાં વધતા પાણીના સ્તરના દબાણ સામે ટકી શક્યો નથી. આજે છેલ્લા 24 કલાકમાં 4 પુલ ધરાશાયી થયા છે.


આ પુલ જનતા બજાર (લહલાદપુર બ્લોક)ના ઐતિહાસિક ધોંધ સ્થાન મંદિરની ઉત્તર દિશામાં ગંડક નદીના એપ્રોચ પર આવેલો છે. માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ શરૂ કરવામાં આવી છે. તૂટેલા પુલને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


આજે બુધવારે સવારે પાણીના જોરદાર પ્રવાહને કારણે સિવાન જિલ્લાના મહારાજગંજ બ્લોકમાં અલગ-અલગ સ્થળોએ ગંડક નદીની શાખા પર બનેલા ત્રણ પુલ તૂટી પડ્યા હતા. ત્રણેય પુલ ધરાશાયી થતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતાં જ એડીએમ ઉપેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. માહિતી મુજબ દેવરિયા ગામમાં નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો.

પુલ 2004માં બાંધવામાં આવ્યો હતો


આ પુલ 2004માં તત્કાલિન સાંસદ પ્રભુનાથ સિંહના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વિભાગ હજુ આ પુલ તૂટી પડવાને લઈને તપાસની તૈયારી કરી રહ્યો હતો. ત્યા થોડા સમય બાદ આ જ બ્લોકના તેઘરા-તેવાથા ગામ વચ્ચે ગંડક નદીના કિનારે બનેલો પુલ પણ તૂટી પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application