તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીના મામલે 4ની ધરપકડ

  • February 10, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિરુપતિમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુમાં કથિત ભેળસેળના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નેતૃત્વ હેઠળની એક વિશેષ તપાસ ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટરો વિપ્નિ જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે થઈ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બીપીન જૈન અને પોમીલ જૈન ભોલે બાબા ડેરીના છે, અપૂર્વ ચાવડા વૈષ્ણવી ડેરી સાથે સંકળાયેલા છે અને (રાજુ) રાજશેખરન એઆર ડેરી સાથે સંકળાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટ તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી, જેના કારણે ધરપકડ કરવામાં આવી હતી.
વૈષ્ણવી ડેરીનો દાવો ખોટો સાબિત
તેમણે આરોપ લગાવ્યો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.

કૌભાંડની તપાસ 4 ઓક્ટોબરના રોજ સીટને સોપાઈ
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને યુવજન શ્રમિકા રૈથુ કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સભ્ય વાય વી સુબ્બા રેડ્ડી દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કયર્િ પછી, સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપ્ની તપાસ સીટ દ્વારા કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ સીબીઆઈ ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application