Nuh Violence: હિંસાના કેસમાં 393 લોકોની ધરપકડ, 160 પર FIR નોંધાઈ; ઈન્ટરનેટ પ્રતિબંધ 13 ઓગસ્ટ સુધી લંબાવાયો

  • August 12, 2023 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ 393 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 118 લોકોની અટકાયત કરવામાં આવી છે. વધુમાં, નૂહ, ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, રેવાડી, પાણીપત, ભિવાની અને હિસારમાં 160 FIR નોંધવામાં આવી છે, હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.


નૂહમાં અત્યાર સુધીમાં નોંધાઈ 59 FIR

નૂંહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજારનિયાએ જણાવ્યું હતું કે હિંસાના મામલે નૂહમાં અત્યાર સુધીમાં 59 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 218 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે નુહ જિલ્લામાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સ્થિતિ સુધર્યા બાદ શુક્રવારે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી છે.


શનિવારે દિવસના કર્ફ્યુમાં રાહત આપવામાં આવી

આ સાથે જિલ્લા વહીવટીતંત્રે શનિવારે એટલે કે 12મી ઓગસ્ટે કર્ફ્યુમાં વધુ રાહત આપવાનો નિર્ણય લીધો છે. શનિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી 11 કલાકનો કર્ફ્યુ રહેશે. આ દરમિયાન લોકોની અવરજવર પર છૂટછાટ આપવામાં આવશે. અત્યાર સુધી કર્ફ્યુમાં સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી છૂટ આપવામાં આવતી હતી.


ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લંબાયો

જો કે હરિયાણા સરકારે ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે. નૂહ (મેવાત) જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી રાત્રે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ રહેશે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે નૂહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેને જોતા 13 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application