જામનગર શહેર અને લાલપુર-જામજોધપુર તેમજ કાલાવડમાં હવામાનમાં પલટો: જામનગર શહેરમાં ગઈ રાત્રે ભારે પવન બાદ છાંટા પડ્યા: કાલાવડમાં આઠ મી.મી. વરસાદ નોંધાયો
જામનગર શહેર અને કાલાવડ- જામજોધપુર તેમજ લાલપુર પંથકમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં મોડી રાત્રે ધોધમાર ૩૫ મીમી વરસાદ પડી ગયો હોવાના જિલ્લા કલેક્ટર કચેરીના તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે શેઠ વડાળાની નદીમાં ફરીથી પૂર જોવા મળ્યા હતા.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં ૧૦ મી.મી., તેમ જ ધૂંનડામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ૨.૩૦ વાગ્યા પછી હવામાન માં પલટો આવ્યા બાદ તોફાની પવન ફૂંકાયો હતો, જેની સાથે વરસાદી છાંટા પડ્યા હતા. જોકે થોડો સમય વાદળો વિખેરાઈ ગયા હતા, પરંતુ આજે પણ ગોરંભાયેલું આકાશ જોવા મળી રહ્યુ છે, અને સૂર્યદેવતા વાદળોની પાછળ સંતાકુકડી રમી રહેલા નજરે પડ્યા છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રાત્રે આઠ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે લાલપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા અને લાલપુરના ભણગોર ગામમાં ૬ મી.મી. પાણી પડ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech