જીવ–હત્યા ટ્રસ્ટ! ઢોર ડબ્બામાં રોજ ૩૦ ગાયનાં મોત

  • September 02, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં હાલ ચોમાસાની ઋતુમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેમજ હાલ પવિત્ર પર્યુષણ પર્વના પ્રારંભે નિરણ, પાણી અને સારવારના અભાવે તેમજ બેદરકારીને કારણે દરરોજ ૩૦થી ૩૫ ગાયોના મોત નિપજી રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજના કોંગી અગ્રણી રણજીતભાઇ મૂંધવા દ્રારા સૌપ્રથમ મહાનગરપાલિકામાં ફરિયાદ અને રજુઆત કરાઇ હતી પરંતુ કોઇ કાર્યવાહી નહીં થતા અંતે આજે તેમણે પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જણાવ્યું હતું. રાજકોટ માલધારી સમાજના આગેવાન તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સેવા દળના પૂર્વ અધ્યક્ષ રણજીતભાઇ મૂંધવાએ જીવદયા ટ્રસ્ટ દ્રારા સંચાલિત એવા રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ગાયોના મોત મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં આજરોજ તેમના લેટરપેડ આપેલી અને ઇનવર્ડ કરાવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે ભાવનગર રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ ઢોર ડબ્બાના સંચાલકો જીવદયાને બદલે જીવહત્યાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો આ મામલે ફરિયાદ નોંધી જવાબદારોને સજા કરવા માંગણી છે. ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહ કરે છે તેમ જણાવી ઉમેયુ છે કે આ ઢોર ડબ્બામાં ૧૦૦૦થી વધુ ગાયોને નિરણ કે પીવાનું શુધ્ધ પાણી અપાતું નથી, બિમાર ગાયોની સારવાર માટે વેટરનરી ડોકટર પણ આવતા નથી. માત્ર ફડં ફાળા કરવા માટે જીવદયા કરતા હોવાનું તેમજ નિરણ અને પાણીના અભાવે ઢોર ડબ્બામાં દરરોજ ૩૦થી ૩૫ ગાયના મોત થઇ રહ્યાનું અરજીમાં જણાવી ગુનો દાખલ કરવા માંગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application