રાજકોટ સામાજીક વનીકરણ વિભાગ નીચે આવતી મોરબી ખાતેની કચેરીમાં મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા વર્ગ ૨ ના અધિકારી મોહમ્મદ મુનાફ ઉસ્માનભાઈ શેખ સહિત વન વિભાગના વર્ગ બે ના ત્રણ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે.
વન વિભાગના વર્ગ–૨ ના અન્ય જે બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે તેમાં છોટા ઉદેપુર ખાતે મદદનીશ સંરક્ષક તરીકે ફરજ બજાવતા કંચનભાઈ મૂળજીભાઈ બારીયા અને હિંમતનગર ખાતે પરિક્ષેત્ર વન અધિકારી તરીકે જવાબદારી સંભાળતા રશ્મીન બચુભાઈ મન્સૂરી નો સમાવેશ થાય છે. આ ત્રણેય અધિકારીઓને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.
વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ (સેવા) જે. ડી. સુથાર દ્રારા ગઈકાલે મોડી સાંજે આ અંગેના હત્પકમો કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ત્રણેય અધિકારીઓને ત્રણ મહિનાના પગાર અને ભથ્થા ચૂકવવાના રહેશે. આ ચૂકવણી માટે તેઓને હત્પકમના આગલા દિવસે જે પગાર અને ભથ્થા મળવાપાત્ર હતા તે ધ્યાને લઈ ગણતરી કરવા સૂચના આપવામાં આવી છે.
આ ત્રણેય અધિકારીઓ સામેના શિક્ષાના હત્પકમની અમલવારી કે તેઓ સામેની પડતર ખાતાકીય તપાસ તથા ફોજદારી કેસ ગુજરાત રાય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ અને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો ૨૦૦૨ હેઠળ સમીક્ષાને આધીન રહેશે તેમ પણ આ પરિપત્રમાં જણાવ્યું છે. ભવિષ્યમાં જો કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ ઉપસ્થિત થશે તો ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો ૨૦૦૨ ના નિયમ ૨૩ અને ૨૪ હેઠળ તેમની અપરિપકવ નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમાં આ હત્પકમમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્રારા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ હાથ ધરીને તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. રાયના ચીફ સેક્રેટરી રાજકુમાર આજે સાંજે ઓફિસના કામકાજના કલાકો બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેના આગલા દિવસે વન વિભાગમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech