.
આટકોટ નજીક વેરાવળ ગામે બધં મકાનમાં ધોળા દિવસે ચોરીના બનાવમાં પરિવારે રૂા.૩ લાખની મત્તા ગુમાવી છે. આટકોટ પોલીસ સ્ટેશનમાંથી પ્રા વિગતો મુજબ વેરાવળ ગામે રહેતા હસમુખભાઈ પરસોત્તમભાઈ ભુવાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના બધં મકાનમાં ધોળા દિવસે બપોરે એકથી ચારના ગાળામાં ચોરી થઇ છે. અજાણ્યા તસ્કરો હસમુખભાઈનાં મકાનમાં પ્રવેશ કરી ઓસરીના ગ્રીલનો દરવાજાનો હત્પક તોડી અંદર પ્રવેશી બે મના દરવાજા તોડી, કબાટનો લોક તોડી તેમાં રાખેલ મગફળીના વેચાણના ૧,૬૬,૦૦૦ તેમજ બચત કરેલા ૧,૩૪,૦૦૦ કુલ રકમ ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાં છે. તસકરોએ ડેલાને અંદરથી બધં કરી ચોરી કરી હતીે. હસમુખભાઈના મોટાભાઈ કેતનભાઇના સાસુનું પાણી ઢોળ હોય ત્યાં ગયા હોય અને ઘર બધં હોય યારે કેતનભાઇ ઘરે આવતા ડેલો અંદરથી બધં હાલતમાં હતો ત્યારે તેમણે અંદર જય જોયું તો મના દરવાજાના તાળાં તૂટેલા હાલતમાં જોવા મળ્યા હતાં અંદર વેરવિખેર હાલતમાં હતું હસમુખભાઈ વેરાવળ સાપર ગામે લોખડં ગાળવાની ભઠ્ઠી ચલાવે છે ત્યારે આટકોટ પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે થોડા દિવસો પહેલા જ આટકોટમાં આવેલા સત્ય વિજય હનુમાનજી મંદિર દાન પેટીની ચોરીનો બનાવ બન્યો છે. ત્યારે આટકોટ પોલીસ વધુમાં વધુ પેટ્રોલિંગ કરે તેવી પણ માંગણી છે હાલમાં દિવાળીના દિવસો હોય લોકો બહાર જતા હોય ત્યારે તસ્કરો પણ પોતાની તસ્કરી અજમાવતા હોય છે. મગફળી વેચાણ–બચતના પૈસા કબાટમાં રાખ્યા હતા
જસદણના વેરાવળ સાણથલીમાં ખેડૂતના મકાનમાં ધોળા દિવસે કલાકોમાં ૩ લાખ રોકડ રકમનો હાથફેરો કરી ગયા હતા. ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે મગફળી વેચાણના પિયા ૧.૬૬ લાખ તથા પોતે કરેલી બચતના પિયા ૧.૩૪ લાખ કબાટમાં રાખ્યા હતા જે રકમની ચોરી થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech