આરટીઈની ૧૩ દિવસમાં ૨૮ લાખ અરજી: આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

  • March 27, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૦ માર્ચ સુધી આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા ૨૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. આ અગાઉ ૧૪ માર્ચથી ૨૬ માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મુદત તા. ૩૦ માર્ચ સુધી સમય લંબાવાયો છે. ૩૦ માર્ચ બપોરે ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાયમાં રાઈટ ટુ એયુકેશન હેઠળ ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. જાહેર રજાઓ વધવાના કારણે મુદત વધારવામાં આવી છે.

રાયમાં ગરીબ પરિવારના બાળકો પણ સા શિક્ષણ મેળવી શકે તે માટે રાય સરકાર દ્રારા આરટીઇનો કાયદો લાવવામાં આવ્યો છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. ત્યાર બાદ વિધાર્થીને રહેણાંકની નજીકની ખાનગી શાળામાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોય છે. શિક્ષણ વિભાગ દ્રારા આરટીઈ વિધાર્થીઓના ફોર્મની ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે ૬ થી ૧૪ વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે.
આરટીઈ હેઠળ ૧૪ માર્ચ ૨૦૨૪ થી ૨૬ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ આ દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા જરી આધાર પુરાવા માટે વિલબં થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાય કક્ષાએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદામાં વધારા માટે માંગણી ઉઠી હતી.જેને લઇ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦ માર્ચ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે.  પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ વિંિંાત:િંિય જ્ઞાિલીષફફિ.િંભજ્ઞળ પર જઈ અરજી કરી શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application