રાત્રે ઊલટી થયા બાદ ૨૭ વર્ષીય સગર્ભાનું બેભાન હાલતમાં મોત: હાર્ટએટેકની શકયતા

  • January 30, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિંદગી કયારે દગો આપી દયે છે નક્કી રહેતું નથી મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસેના વૃજભુમિ રેસિડેન્સીમાં રહેતી સગર્ભાને રાત્રીના ચક્કર આવ્યા બાદ ઉલ્ટી થયા પછી બેભાન હાલતમાં જ મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. સગર્ભાનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાતા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું છે.

મળતી વિગત મુજબ સેટેલાઇટ ચોક પાસેના વૃજભુમિ રેસિડેન્સી–૨માં રહેતી કોમલબેન રવિભાઈ રાઠોડ (ઉ.વ.૨૭)નામની પરિણીતા આજે વહેલી સવારે બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને કરતા પોલીસ સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર કોમલબેનના લ ૧૦ મહિના પહેલા જ થયા હતા અને હાલમાં સારા દિવસો ચાલી રહ્યા હતા. પતિ રવિભાઈ જકાતનાકા પાસે સોમનાથ દૂધની ડેરી ધરાવે છે. પરિવારજનોના કહેવા મુજબ મોડી રાત્રીના પોતાને ગભરામણ થતી હોય અને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરતા સસરાએ આઈસ્ક્રીમ ખવડાવી હતી. બાદમાં ઉલ્ટી થયા પછી અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે મૃત જાહેર કરી હતી. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application