વડિયામાં આયુર્વેદિક દવાના નામે નશીલા સિરપનો ૨૪૦બોટલ જથ્થો ઝડપાયો

  • December 02, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબારનો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લ ામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવાથી સમગ્ર જિલ્લ ામાં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લ ાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ઢોળવા રોડ રાજેશ વલ્લ ભભાઈ સાંગાણીના રહેણાંક મકાન અને  મહાદેવ પાન એન્ડ કોલડિં્રક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી ૨૮૦નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયાની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂના વ્યસનીઓ આ સીરપનો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આનુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application