પોરબંદરની લોક અદાલતમાં ૨૨૭૦ કેસનો થયો નિકાલ

  • September 16, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની લોક અદાલતમાં ૨૨૭૦ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, એક કરોડ અઢાર લાખથી વધુની રકમના વિવાદનો સમાધાનથી અંત આવ્યો છે.
પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી.જે લોક અદાલતમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી-લીટીગેશનના કુલ ૮૦૨ કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ ૨૫૩ કેસો તથા સ્પેશ્યલ સીટિંગના કુલ ૧૨૧૫ કેસો મળીને કુલ ૨૨૭૦ કેસોનો નિકાલ થયો હતો તેમજ કુલ અંકે ‚પિયા એક કરોડ અઢાર લાખ અઠ્ઠાશી હજાર પાંચસો ચાર ‚પિયા જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application