જામનગર-સમાણા-ફુલનાથ રોડને 10 મીટર જ્યારે ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડ, ધ્રોલ-કાલાવડ વાયા ડાંગરા-સણોસરા રોડ તેમજ સડોદર-મેથાણ-મોટી પાનેલી રોડને 7 મીટર પહોળો કરવા સૈઘ્ધાંતિક મંજુરી અપાઇ
જામનગર જિલ્લાના નાગરિકોનું આવાગમન સરળ બને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર દરમિયાન સમય અને નાણાંની બચત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે.જે કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ગૌસ્વામીએ જણાવ્યું છે.આ કામોમાં જામનગર જિલ્લાના વિવિધ રસ્તાઓને પહોળા કરવાના કામ તથા મેજર તેમજ માઈનોર બ્રિજના કામોને રૂ.217 કરોડથી વધુના ખર્ચે મંજુરી આપવામાં આવી છે.
જેમાં રૂ.94.40 કરોડના ખર્ચે જામનગર-સમાણા-ફુલનાથ રોડને 10 મીટર પહોળો કરવો, આ રોડનું મજબુતીકરણ કરવું તેમજ સ્ટ્રકચર રીક્ધસ્ટ્રકશન તથા સી.સી.રોડના કામને મંજૂરી આપવામાં આવેલ છે. જ્યારે ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડને રૂ.23.50 કરોડના ખર્ચે 7 મીટર પહોળો કરવાની તેમજ મજબુતીકરણની કામગીરી, રૂ.64.45 કરોડના ખર્ચે ધ્રોલ-કાલાવડ વાયા ડાંગરા-સણોસરા રોડ તેમજ રૂ.28.50 કરોડના ખર્ચે સડોદર-મેથાણ-બગથરા-બુટાવદર-માંડાસણ-મોટી પાનેલી રોડને 3.66 મીટરમાંથી 7 મીટર પહોળો કરવાની કામગીરીને મંજૂરી આપવા આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડના ખર્ચે અલિયાબાડા વિઝરખી રોડ પર મેજર બ્રિજ તેમજ વાડીનાર એપ્રોચ રોડ પર રૂ.1.20 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી અપાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech