ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલુ મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરના તમામ એસટી ડિવિઝનને નવી બસોની ફાળવણી શરૂ કરવામાં આવનાર છે. ૧૦૦ એસી બસ સહિત કુલ ૨૦૬૩ નવી બસો આગામી દિવસોમાં આવશે.
વિશેષમાં નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી સપ્તાહથી દર સપ્તાહે તબક્કાવાર ૨૦૦થી ૩૦૦ નવી બસ આવશે જેની જરૂરિયાત મુજબ વિવિધ ડિવિઝનને ફાળવણી કરવામાં આવશે.નિયત કિલોમીટર પૂર્ણ થઇ ગયા હોય તેવી તમામ ઓવરએજ બસો સેવામાંથી દૂર કરવામાં આવશે.
તદઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં હાલ મોટા પાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ૩૦૦૦ ડ્રાઇવર, ૩૦૦૦ કંડકટર અને ૨૨૦૦ હેલ્પરની ભરતી કરવામાં આવનાર છે. કંડક્ટરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે, ડ્રાઇવરોના ટેસ્ટ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે હેલ્પર્સની ટેસ્ટ આગામી જુલાઇ માસમાં લેવામાં આવનાર છે. આ ઉપરાંત પણ નિગમમાં ખાલી પડેલી અનેકવિધ જગ્યાઓ ઉપર ટૂંક સમયમાં ભરતી થનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech