બલુચિસ્તાનના કેચ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે હિન્દુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એકને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ ઘટના તુર્બત વિસ્તારમાં બની હતી.
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના કેચ જિલ્લાના તુર્બત વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ બે હિન્દુઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી. આ ઘટનામાં હરિ લાલ અને મોતી લાલ નામના બે હિન્દુ વેપારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે શેરોમલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે બે મોટરસાઇકલ પર આવેલા માસ્ક પહેરેલા માણસોએ બજાર નજીક ચાર લોકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં ચાર લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બે હિન્દુઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ડીઆઈજી અર્સલાન ખોખરે તેને લક્ષ્યાંકિત હુમલો ગણાવ્યો અને કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ બળવાખોર કે આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
વેપાર વિવાદ કે આતંકવાદી હુમલો?
એક અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી કે આ ઘટના વ્યવસાયિક વિવાદનું પરિણામ હોઈ શકે છે કારણ કે માયર્િ ગયેલા લોકો શ્રીમંત ઉદ્યોગપતિઓ હતા. જોકે બલૂચિસ્તાનમાં આતંકવાદી જૂથો ઘણીવાર સુરક્ષા દળો અને ચીની નાગરિકોને નિશાન બનાવે છે, પરંતુ લઘુમતી સમુદાય સામે આવી હિંસા ભાગ્યે જ જોવા મળે છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને પોલીસને જવાબદારોને તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
હત્યાની અન્ય એક ઘટના બુલેડામાં બની
દરમિયાન, બલુચિસ્તાનના બુલેડા વિસ્તારમાં બીજી એક ઘટના બની જ્યાં બંદૂકધારીઓએ મુહમ્મદ હયાત નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પાકિસ્તાનમાં સ્થિત બલુચિસ્તાન ખૂબ જ સંવેદનશીલ સ્થળ છે. આતંકવાદીઓ અહીં દરરોજ હુમલા કરતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech