પાકિસ્તાનની કસ્ટડીમાં 194 ભારતીય માછીમારો, 123 ફક્ત ગુજરાતના

  • March 18, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કેન્દ્ર સરકારે ચાલુ સંસદ સત્રમાં જણાવ્યું હતું કે હાલમાં પાકિસ્તાનમાં કેદ 194 ભારતીય માછીમારોમાંથી 123 ગુજરાતના છે. આ માહિતી રાજ્યસભામાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે સાંસદ પરિમલ નથવાણી દ્વારા પાકિસ્તાનમાં કેદ ભારતના માછીમારો અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.


વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના 123 માછીમારો જે હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં છે, તેમાંથી 33 2021માં, 68 માછીમારો 2022માં, 9 માછીમારો 2023માં અને 13 માછીમારો 2024માં પકડાયા હતા.મંત્રીના નિવેદન મુજબ, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ દરેક દેશના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાનપ્રદાન કરે છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ આપેલી યાદી અનુસાર, પાકિસ્તાને 217 ભારતીય માછીમારોની કસ્ટડી સ્વીકારી હતી. આ યાદીઓના આદાનપ્રદાન પછી 1 ભારતીય માછીમારનું મૃત્યુ થયું અને 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા.


મંત્રીએ તેમના જવાબમાં વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની ધરપકડના કિસ્સાઓ નોંધાતાની સાથે જ ઇસ્લામાબાદમાં ભારતીય મિશન દ્વારા પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર એક્સેસ મેળવવા અને તેમની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત મોકલવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. ભારતીય માછીમારોને કાનૂની સહાય સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application