માત્ર 30 ટકા મત મેળવીને 178 નેતા સાંસદ બની ગયા
દેશની ચૂંટણી પ્રણાલીની એ વિડંબના છે કે છેલ્લી સામાન્ય ચૂંટણી (લોકસભા - 2024)માં 542 બેઠકોમાંથી 178 બેઠકો પર કુલ મતદારોના માત્ર 30 ટકા મત મેળવનારા ઉમેદવારો સાંસદ બની ગયા. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા એકંદર ડેટાના વિશ્લેષણમાંથી આ હકીકત બહાર આવી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં આ સંખ્યા 125 હતી.
30 ટકા અથવા તેનાથી ઓછા મત મેળવનારા નેતાઓની સંખ્યા વધીને 178 થઈ ગઈ છે. અગાઉ વર્ષ 2019માં તે 125 હતો. 30 ટકા મત મેળવીને ચૂંટાયેલા નેતાઓમાં ભાજપ્ના 240માંથી 57 સાંસદો છે. કોંગ્રેસના 99માંથી 30 સાંસદો છે. સમાજવાદી પાર્ટીના 37માંથી 31 સાંસદ છે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 542 બેઠકોમાંથી 8 ભાજપ્ના નેતાઓ 10 ટકા અને 20 ટકા મતોથી જીત્યા હતા. તે જ સમયે, 170 નેતાઓ 20 ટકા અને 30 ટકા મતો સાથે જીત્યા હતા. 266 નેતાઓ 30 અને 40 ટકા મતોથી જીત્યા. જયારે 92 ટકા નેતાઓ 40 અને 50 ટકા મતો સાથે જીત્યા. માત્ર 6 સાંસદો એવા હતા જેઓ 50 ટકા મતોથી ચૂંટણી જીત્યા હતા. 30 ટકા કે તેથી ઓછા મત મેળવીને જીતેલા 178 ઉમેદવારોમાંથી 65 ઉત્તર પ્રદેશના હતા, ત્યારબાદ બિહાર (30) અને મહારાષ્ટ્ર (24) હતા.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2019માં 6,923ની સરખામણીમાં 2024માં 7,190 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. કુલ 3,921 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને તેમાંથી માત્ર 7 જ જીત્યા હતા, જ્યારે 3,905 અપક્ષ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech