લોકસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે થઈને વિવિધ ગુના હેઠળ નાસ્તા ફરતા ગુનેગારોને રાઉન્ડ અપ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે જેમાં આંતરરાષ્ટ્ર્રીય સરહદો પરથી અન્ય રાયમાં નાસી જતા ગુનેગાર પકડવા તે પોલીસ તત્રં માટે અઘરો વિષય છે હાલ ૨૧ હજારથી વધુ ગુનેગારો નાસતા ફરે છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાના ૩૩ દિવસમાં ૮૪૦ ગુનેગારો પોલીસ તંત્રને પકડા છે હજુ ૨૦,૧૬૦ ગુનેગાર પકડવાના બાકી છે આ માટે ગુજરાતના સરહદી રાયો મહારાષ્ટ્ર્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારમાં ૧૪૪ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ માટે આ તમામ રાજયો સાથે સહકાર આપવા એક બેઠક પણ કરવામા આવી છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગુજરાતના સરહદી રાયમહારાષ્ટ્ર્ર,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની સરહદે અગાઉ કરતાં વધારે કુલ ૧૪૪ જેટલી ચેકપોસ્ટસ ઊભી કરી છે, જેની પાછળના મુખ્ય કારણો માં એક કારણ આ નાસતા ફરતા ગુનેગારોને ઝબ્બે કરવાનું પણ છે, આને માટે બોર્ડર રાયોના પોલીસ તત્રં સાથે ખાસ બેઠકનુ આયોજન કરી આવા ભાગેડુ ગુનેગાર ને પકડવા માટે સહયોગ લેવાનો છે, આમ છતાં હજી દિશામા રાયના પોલીસતંત્રને ધારી સફળતા મળી નથી
અત્યાર સુધીમાં કુલ ૮૪૦ જેટલા ભાગેડુ ગુનેગારો ૩૩ દિવસમાં પકડાયા છે, તે પૈકી ૨૦ ગુનેગારો ૨૦ કરતાં વધુ વર્ષેાથી, ૧૧ ગુનેગારો ૧૫ કરતા વધુ વર્ષેાથી, ૩૩ ગુનેગારો ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી તેમજ ૪૯૯ ગુનેગારો ૧૦ કરતાં ઓછા વર્ષેાથી નાસતા ફરતા હતા.સૂત્રો કહે છે કે, રાયમાં કુલ ૫૪,૪૩૬ ખાનગી લાઇસન્સવાળા હથિયારો છે જે પૈકી ૪૮,૭ ૦૦ હથિયારો ચૂંટણીના કારણે અત્યાર સુધી જમા લેવાયા છે, બાકીના હથિયારોના કિસ્સામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી સમિતિએ સમીક્ષા બાદ હથિયારો રાખવાની છૂટ આપેલી હોઈ હથિયારો જમા લેવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂકયું છે.
સૂત્રો એમ પણ કહે છે કે, સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ, પ્રોહિબિશન–૯૩ હેઠળ અટકાયતી પગલાં લેવાની તેમજ પાસા તથા તડીપાર કરવાની કામગીરી તો પોલીસતત્રં માટે સતત ચાલતી પ્રક્રિયા છે, જે કામગીરીના મહિનાવાર આંકડાની નોધ રાખવામા આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech