મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભયાનક અકસ્માત વાહન પલટી જતા 14નાં મોત, 21 ઘાયલ

  • February 29, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક દમ્બીર અકસ્માતમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ વહેલી સવારે અહીં બિચીયા-બરઝાર ગામમાં એક મોટો અકસ્માત થયો છે. એક પીકઅપ વાહને કાબૂ ગુમાવતા અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે 21 જેટલા લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકો અમાહી દેવરી ગામથી મસૂરઘુઘારી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક વિસ્તારમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

બરઝાર ઘાટ પર પાછા ફરતી વખતે તેમના પીકઅપ વાહનની બ્રેક ફેલ થઇ ગઈ હતી. જેના કારણે વાહન કાબુ બહાર જઈ 20 ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું હતું. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, અકસ્માત બિછિયા ચોક પાસે થયો હતો. પીકઅપ વાહનમાં તમામ મુસાફરો બેઠા હતા.
14 મૃતકોમાં 9 પુરૂષ અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જયારે 21 ઘાયલોમાં 9 પુરૂષ અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. 2ની હાલત ગંભીર જણાતા તેમને જબલપુર રીફર કરવામાં આવ્યા છે. જેમાંથી એકનું રસ્તામાં જ મોત થયું હતું.
મૃતકોમાં મદનસિંહ, પિતામ, પુન્નુ લાલ, મહદી બાઈ, સેમ બાઈ, લાલ સિંહ, મુલિયા, તિત્રી બાઈ, સાવિત્રી, સરજુ, સમહર, મહાસિંગ, લાલ સિંહ, કિરપાલનો સમવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application