જામનગરના વેપારીના ૧૩ વર્ષના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ

  • October 10, 2023 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નાની વયે હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહયું છે, ૨૫ થી ૪૫ ની વચ્ચેના યુવાનોના હૃદય એકા એક બંધ પડી જતા મૃત્યુને ભેટી રહયા છે, ગઇકાલે ખારવા ગામમાં ૩૬ વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું, દરમ્યાન જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે, મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ ‚દન કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા પુરસ્કાર ગીફટ શોપવાળા વેપારી સચિનભાઇ વેણીભાઇ ગઢેચાનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ મુંબઇ ખાતે અભ્યાસ કરે છે, દરમ્યાનમાં ઓમને હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયુ હતું. 
આ અંગેની જાણ પરિવારજનોને થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, મુંબઇથી ત‚ણનો મૃતદેહ જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ ‚દન કર્યુ હતું, આજે બપોરે તેમના નિવાસ સ્થાન કામદાર કોલોની ખાતેથી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળ્યું છે.
છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં હાર્ટએટેકના હુમલા ઘાતક બની રહયા છે, જામનગરના ધ્રોલ ખાતેના ખારવામાં ગઇકાલે એક યુવાનનું હૃદય બંધ પડી ગયુ હતું, એ બનાવ તાજો છે ત્યાં વેપારી પુત્રનું ત‚ણ અવસ્થામાં એટેકથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application