મધ્યપ્રદેશમાં લગ્નની જાન લઈ જતી ટ્રેકટરટ્રોલી પલટી જતા ૧૩નાં મોત

  • June 03, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પીપલોધીજાડમાં રવિવારે મોડી રાત્રે ટ્રેકટર–ટ્રોલી પલટી જવાને કારણે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લાના પરિવારો ના ચાર બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ માર્ગ અકસ્માત પર ઐંડો શોક વ્યકત કર્યેા હતો. રાષ્ટ્ર્રપતિએ ટિટર પર લખ્યું, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદ છે, હત્પં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઐંડી સંવેદના વ્યકત કં છું. ઘટનાની જાણ થતા જ બચાવ કાર્ય શ કરી દેવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ લોકોને ભોપાલ રીફર કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પણ ટિટર પર લખ્યું છે કે રાજગઢ જિલ્લાના પીપલોડી રોડ પર ટ્રેકટર ટ્રોલી પલટી જવાથી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ૧૩ લોકોના અકાળે મોતના સમાચાર અત્યતં દુ:ખદ છે.કલેકટર અને એસપી રાજગઢ સાથે સ્થળ પર દોડી ગયા હતા.
રાજસ્થાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે, ગંભીર રીતે ઘાયલ કેટલાક દર્દીઓને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. રાજગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષ દીક્ષિતે જણાવ્યું હતું કે ૧૩ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યારે બેને માથા અને છાતીમાં ઈજાના કારણે સારી સારવાર માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધવાની અપેક્ષા નથી કારણ કે બે ગંભીર રીતે ઘાયલ લોકોની હાલત ખતરાની બહાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application