હળવદ તાલુકાના ૧૧ ગામો છેલ્લા ઘણા લાંબા સમયથી શિવપુર, ચુંપણી, રણછોડગઢ, માથક, ડુંગરપુર, માણેકવાડા, રાતાભેર, વાંકીયા, ખેતરડી, રાયધ્રા અને સમલી ગામોને પિયતના પાણી માટેની રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ૧૧ ગામોને સરદાર સરોવર નિગમની કોઈપણ બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઈનો લાભ મળતો નહતો. જેથી કરીને નર્મદાનું પાણી આપવા માટે ૬૨.૪૨ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ૧૧ ગામોના આશરે ૨૪ તળાવો, એક ચેકડેમ તથા એક નાની સિંચાઈ યોજનાને જોડવામાં આવશે. જેનાથી ૪૦૫ હેક્ટર જમીનમાં પિયતનો લાભ મળશે.
આ તકે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ માહિતી આપી હતી. જેમાં ૧૧ ગામના આગેવાનો, મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, પૂર્વ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, વલ્લ ભભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, નરેન્દ્રસિંહ રાણા, સુખુભા ઝાલા, મનસુખભાઈ કણજારીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMઆપણે આપણી ધીરજ ગુમાવી દીધી છે, પરપ્રાંતિય મજૂરોને રેશન કાર્ડ આપવામાં વિલંબ પર SC ની ફટકાર
October 05, 2024 05:04 PMઆખરે, પાકિસ્તાને એવું શું કર્યું કે તેણે સડકો પર તૈનાત કરવી પડી સેના
October 05, 2024 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech