પોરબંદરના બરડાપંથકના અનેક રસ્તાઓ ચોમાસા દરમ્યાન ભંગાર હાલતમાં ફેરવાઇ ગયા છે આથી તેના નવીનીકરણ માટે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી અને તે અનુસંધાને ા. ૧૦ કરોડ ૬૮ લાખ જેવી રકમ મંજૂર થઇ હોવાનું જાણવા મળ્યુ છે.
ચોમાસા દરમ્યાન પોરબંદરના ગ્રામ્યપંથકમાં અનેક રસ્તાઓને ખૂબજ મોટુ નુકશાન પહોચ્યુ હતુ અને તેના કારણે લોકોને અવરજવરમાં પણ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તેથી તે અંગે ગ્રામ્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સરકારે ૧૦ કરોડ ૬૮ લાખ પિયા જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું જાણવા મળ્યુ છે અને આ રકમમાંથી નોનપ્લાન રસ્તાઓ મંજૂર થતા તેના જોબનંબર ફાળવાઇ ગયા છે અને ટૂંક સમયમાં આ રસ્તાના નવીનીકરણની કામગીરી શ કરવામાં આવશે.
સરકાર દ્વારા જે રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે તેમાં કુલ પાંચ નોનપ્લાન રસ્તા માટે ૧૦ કરોડ ૬૮ લાખ જેવી રકમ ફાળવવામાં આવી છે. હાથીયાણીથી વડાળા તરફ જતો રસ્તો, મોઢવાડાથી શીશલી તરફ જતો રસ્તો, બખરલાના ચામુંડા મંદિરથી આદિત્યાણા અને કાટવાણા તરફ જતો રસ્તો, પારાવાડાથી ભુવનેશ્ર્વર તરફ જતો રસ્તો અને નટવરનગરથી હાથલા તરફ જતો રસ્તો નવો બનશે અને રોડ ઉપરાંત પ્રોટેકશન વોલ અને કોઝવેના કુલ ૧૦ કરોડ ૬૮લાખના કામ મંજૂર થતા ગ્રામ્યપંથકના લોકોને અવરજવરમાં વેઠવી પડતી પરેશાનીનો અંત આવશે.ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન અનેક રસ્તાઓનું ધોવાણ થયુ છે તેના કારણે લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે બરડાપંથકમાં પાંચ નોનપ્લાન રસ્તા મંજૂર થયા છે તેથી ગ્રામજનોની હેરાનગતિનો અંત આવશે તેમ જણાઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech