BREAKING NEWS

જામનગરમાં પાન ખાવા ગયેલા યુવાન પર પાઇપથી પ્રહાર

  • December 05, 2025 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના પીએન માર્ગ પર દુકાને પાન ખાવા ગયેલા યુવાન સાથે ૩ ઇસમોએ બોલાચાલી કર્યા બાદ પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.


જામનગરના ગાંધીનગર ખોડીયાર પ્રસંગ હોલની બાજુમાં રહેતા દિવ્યરાજસિંહ સમરસિંહ ચાવડા (ઉ.વ.૨૪) નામનો યુવાન ગઇકાલે પી.એન. માર્ગ પર દુકાને પાન-મસાલો ખાવા ગયો હતો ત્યારે આરોપી દિપક ત્યાં હાજર હોય દરમ્યાન અન્ય બે શખ્સોને બોલાવી લીધા હતા અને ત્રણેય શખ્સોએ ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી.
​​​​​​​

દરમ્યાનમાં બોલાચાલી કરવાની ના પાડતા શખ્સોએ અપશબ્દો કહી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો તેમજ પાઇપ વડે માથાની પાછળના ભાગે એક ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી ઢીકાપાટુનો માર મારીને એકબીજાને મદદગારી કરી હતી. દિવ્યરાજસિંહ દ્વારા આ બનાવ અંગે દિપક દિલીપભાઇ તથા બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application