'નેચર કોમ્યુનિકેશન્સ' : નાઇટ્રોજન પ્રદૂષણથી માનવજીવનને થશે મોટું નુકશાન ; તટપ્રદેશોની સંખ્યામાં વધારા સાથે પાણીની ગુણવત્તાને પણ થઈ અસર
નાઇટ્રોજન પ્રદૂષણને કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક નદીઓના પેટા-બેઝિનના એક તૃતીયાંશ વિસ્તારોમાં સ્વચ્છ પાણીની તીવ્ર અછત થશે તેવો અંદાજ છે. એક નવા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. સંશોધકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે વૈશ્વિક નદીઓના ૧૦,૦૦૦ થી વધુ પેટા-બેસિનોનું એનાલીસીસ કરીને શોધી કાઢ્યું છે કે ભયજનક રીતે વધી રહેલા નાઇટ્રોજન પ્રદૂષણથી માત્ર જળ-તણાવવાળા નદીના તટપ્રદેશોની સંખ્યામાં વધારો થયો નથી પરંતુ પાણીની ગુણવત્તાને પણ અસર થઈ છે. બધાને સ્વચ્છ પાણી પૂરું પાડવું એ સંયુક્ત રાષ્ટ્રના ૨૦૩૦ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો માંથી એક છે.
તેઓએ અનુમાન લગાવ્યું કે નાઈટ્રોજન પ્રદૂષણ દક્ષિણ ચીન, મધ્ય યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં ઘણા પેટા-બેસિનોમાં પાણીની તીવ્ર અછતનું કારણ બની શકે છે. નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળની ટીમે નાઈટ્રોજન પ્રદૂષણ માટે શહેરીકરણ અને કૃષિને જવાબદાર ઠેરવ્યા હતા. તેમના આ તારણો 'નેચર કોમ્યુનિકેશન્સ' જર્નલમાં પ્રકાશિત થયા છે.
નદીના પેટાળમાં નાની ખીણો છે જે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. મોટા પાયે શહેરી વસ્તી અને આર્થિક પ્રવૃત્તિ હોવાથી, આ જળમાર્ગો પ્રદૂષિત થવાનું જોખમ રહેલું છે. આ સબબેસિનોને પ્રદૂષિત કરવામાં ગટરોનો મોટો ફાળો છે. નાઈટ્રોજન એ છોડ અને પ્રાણીઓના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, તેની વધુ માત્રા ઇકોસિસ્ટમમાં વિક્ષેપ અને સ્વચ્છ પાણીની અછતનું કારણ બની શકે છે. સંશોધકોના મૂલ્યાંકન મુજબ, ૨૦૧૦માં આ સબબેસિનોમાંથી એક ચતુર્થાંશ (૨૫૧૭)એ સ્વચ્છ પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો.
સંશોધકોના જણાવ્યા અનુસાર, "આ મુખ્ય પાણીની અછત ધરાવતા સબબેસિનો મુખ્યત્વે ઉત્તર અમેરિકા, યુરોપ, ઉત્તર આફ્રિકાના ભાગો, મધ્ય પૂર્વ, મધ્ય એશિયા, ભારત, ચીન અને દક્ષિણપૂર્વ એશિયાના દક્ષિણ ભાગોમાં જોવા મળ્યા હતા." એવો અંદાજ છે કે વર્ષ ૨૦૫૦માં ૧૦ હજાર સબબેસિનોમાંથી એક તૃતીયાંશ (૩૦૬૧) પાણીના જથ્થા અને ગુણવત્તામાં ઘટાડાનું જોખમ હોઈ શકે છે, જે ત્રણ અબજ લોકો માટે જળ સંકટનું કારણ બની શકે છે. આ સબ બેસિનોમાં કાં તો પીવા માટે પૂરતું પાણી નહીં હોય અથવા તો પાણી પ્રદૂષિત હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech