બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાને જુગારીયા પતિએ બેફામ માર માર્યેા

  • August 11, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાની બુટ્ટી વિશે પૂછતા કહ્યું, હત્પં બુટી હારી જાઉં કે ગીરવે મૂકવું તારે જોવાનું નથી કહી માર માર્યેા: હાલ કનેસરામાં રહેતી પરિણીતાની રાજકોટ સ્થિત સાસરિયાઓ સામે ફરિયાદ




હાલ જસદણ તાલુકાના કનેસરા ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ રાજકોટના જંગલેશ્વરમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.





જાણવા મળતી વિગતો મુજબ, હાલ જસદણ તાલુકાના કનેસરા ગામ માવતરના ઘરે રહેતી અને સિલાઈકામ તથા બ્યુટી પાર્લર ચલાવનાર યોતિબેન (ઉ.વ ૩૨) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જંગલેશ્વરના બિલાલ ચોકમાં રહેતા પતિ શૈલેષ સાગઠીયા, સસરા મૂળજી સાગઠીયા, સાસુ કેશુબેન નણદં કુસુમબેન,નણદોયા વિજયભાઈ બથવાર,કાકાજી સસરા હરિભાઈ, કાકીજી સાસુ વર્ષાબેન સહિતના નામ આપ્યા છે.





પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લ અઢી વર્ષ પૂર્વે શૈલેષ સાગઠીયા સાથે થયા હતા. લના છ મહિના ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ સાસુ કહેવા લાગ્યા હતા કે તને ઘરકામ આવડતું નથી તારા પિતાએ તને કરિયાવરમાં ટી.વી, વોશિંગ મશીન કઈ આપ્યું નથી હજુ કરિયાવર લેતી આવ કહી દહેજની માંગણી કરતા. સસરા મૂળજીભાઈ દા પીવાની કુટેવ ધરાવતા હોય દા પી ઝઘડો કરતા હતા તેમજ નણંદ–નણદોયા અને કાકાજી તથા કાકીજી સાસુ પરિણીતા વિદ્ધ પતિની ચઢામણી કરતા હતા જેથી પતિ ઝઘડો કરતો હતો આ ઝઘડાના લીધે પરિણીતા ચારેક વખત રિસામણે આવી હતી. પરંતુ ઘર સંસાર ચલાવો હોવાથી સમાધાન કરી પરત પતિના ઘરે આવી ગઈ હતી.


પરિણીતા એ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પતિને દા પીવાની તથા જુગાર રમવાની કુટેવ હોય જેથી પતિ જુગારમાં પૈસા હારી જાય તો માવતરના ઘરેથી પૈસા લઈ આવવાનું કહેતો હતો. જેથી પરિણીતા પિયા ૨૫ હજાર માવતરના ઘરેથી લઈને આપ્યા હતા.
દરમિયાન ગત તારીખ ૯૭૨૦૨૩ ના પરિણીતા ફોન પર વાત કરતી હતી ત્યારે પતિ દા પીને આવ્યો હતો અને તેના હાથમાંથી ફોન આંચકી પરણીતાની માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં પરણીતાએ પૂછયું હતું કે, મારા લ સમયે ચડાવેલી સોનાની બુટ્ટી કયાં રાખી છે તમે જુગારમાં હારી ગયા છો આ સાંભળી પતિએ કહ્યું હતું કે,સોનાની બુટ્ટી અમે ચડાવી હતી હત્પં જુગારમાં હારી જાઉં કે ગીરવે મૂકવું તારે જોવાનું નથી તેમ કહી બેફામ મારવા લાગ્યો હતો આ સમયે અન્ય સાસરીયાઓ પણ હાજર હોય પરંતુ કોઈ વચ્ચે પડું ન હતું. બાદમાં પરિણીતાને દુખાવો થતો હોય તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ તેણે પોતાના પિતાને ફોન કરતા તે આવી તેને તેડી ગયા હતા. ત્યારબાદથી તે અહીં માવતરના ઘરે રિસામણે છે આ દરમિયાન સાસરિયાઓએ સમાધાન કરવાની કે તેડી જવાની દરકાર ન લેતા અંતે તેણીએ આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application