રાત્રે દરોડો પાડવા કેમ ગયા? NIA ટીમ પર હુમલા બાદ મમતાનો અધિકારીઓને સવાલ

  • April 06, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળના મેદિનીપુરના ભૂપતિનગરમાં એનઆઈએ ટીમ પર થયેલા હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સવાલો ઉઠાવ્યા કે એનઆઈએના અધિકારીઓ રાત્રે દરોડા પાડવા કેમ ગયા? જ્યારે મમતાને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે દરોડો અડધી રાત્રે કેમ પાડવામાં આવ્યો? શું તેની પાસે પોલીસની પરવાનગી હતી?

​​​​​​​મમતાએ વધુમાં પૂછ્યું હતું કે, તેઓ ચૂંટણી પહેલા લોકોની ધરપકડ કેમ કરી રહ્યા છે? ભાજપને શું લાગે છે કે તેઓ દરેક બૂથ એજન્ટની ધરપકડ કરશે? એનઆઈએ પાસે કયા અધિકારો છે? તેઓ ભાજપને સમર્થન આપવા માટે આ બધું કરી રહ્યા છે. અમે ભાજપની આ ગંદી રાજનીતિની વિરુદ્ધ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application