પ્રથમ ફ્લાઇટ ની ઉડાનમાં કોણ બાજી મારશે? એરઇન્ડિયા કે ઈન્ડિગો

  • July 27, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ફ્લાઈટના લેન્ડિંગ બાદ નવા એરપોર્ટમાં પ્રથમ ફલાઇટ માટે એરલાઈન્સ કંપનીઓમાં ભારે ઉત્સાહ:22 મીથી ઉદેપુર અને ઇન્દોર માટેની હવાઈ સેવા શરૂ થશે



આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિમાનનું નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ થયા બાદ જ્યાંથી સિવિલ એરપોર્ટ શરૂ થાય ત્યારે પ્રથમ લેન્ડિંગ માં કોણ બાજી મારશે? પ્રથમ ફ્લાઇટ લાવવાનું ગૌરવ મેળવવા માટે એરલાઇન્સ કંપનીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે.



ઓથોરિટી દ્વારા હજુ એવું કહેવામાં આવ્યું છે કે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ રીતે શરૂ થતા એકાદ મહિના જેટલો સમય લાગી જશે જ્યારે એરપોર્ટમાં એવી પણ ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિના પહેલા આ એરપોર્ટ શરૂ નહીં થાય ત્યાં સુધી જુના એરપોર્ટ પરથી હશે બધી ફ્લાઈટ ઉડાન ભરસે.



આ દરમિયાન નવા એરપોર્ટ પર પ્રથમ ડોમેસ્ટિક ફ્લાઈટ લાવવા માટે એર ઇન્ડિયા અને ઈન્ડિગો દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 22 મી ઓગસ્ટ થી ઉદયપુર અને ઈન્દોર માટેની રાજકોટ થી ફ્લાઇટ શરૂ થઈ જશે. ટિકિટ બુકિંગ ચાલુ થઈ ગયું છે.


નવા એરપોર્ટ પર બંને એરલાઇન્સો દ્વારા દિલ્હી ઉપરાંત હૈદરાબાદ અને બેંગલોર ની ફ્લાઈટ પણ શરૂ કરવા માટેની ગતિવિધિઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application