જામનગર રિટેલ વેપારી મહામંડળ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
અત્યારે ઉનાળાની ઋતુના ધોમધખતા તાપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે, એકતરફ મોટાભાગના લોકો ઘરમાં બારેમાસના ઘઉં તથા મસાલા ભરવાના કામમાં વ્યસ્ત છે અને બીજી તરફ ચુંટણીમાં ઉભેલા ઉમેદવારો મતદારોને મતદાન કરાવવા માટે રાત-દિવસ દોડાદોડી કરી રહ્યા છે.
ચુંટણીનો માહોલ હજુ જોઈએ તેવો જામતો નથી! આવી સ્થિતિમાં જામનગરની તમામ જ્ઞાતિ( લોહાણા, વાણિયા, બ્રાહ્મણ,ભોય,ખવાસ, મુસ્લિમ, વ્હોરા, ખોજા, સતવારા, ભાનુશાળી, વગેરે) ના વેપારીઓની સંસ્થા રિટેલ વેપારી મહામંડળ -જામનગર દ્વારા દરેક પુખ્ત વયના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનના દિવસે મતદાન કરવા માટે જાગૃત કરવાના ઉદ્દેશથી સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ મશરૂ, સદસ્યો રાજેશભાઈ દતાણી, પિયુષભાઈ રવાણી, હિતેશભાઈ રાયચુરા, પરેશભાઈ, ઈમરાન, ફિરોઝ, વગેરે દ્વારા હું મતદાન અવશ્ય કરીશ ના લખાણ વાળા સ્ટીકરો વેપારીઓની દુકાનો તથા રેંકડીઓ, રિક્ષાઓમાં ચોંટાડવામાં આવ્યા છે.