નવી સરકાર બનાવવા ઈમરાનના હરીફ નેતાઓ વચ્ચે થઇ શકે છે ગઠબંધન
પાકિસ્તાનના રાવલપિંડી માંથી હિંસાના સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી-પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત ઉમેદવાર ચૌધરી મુહમ્મદ અદનાનની પોલીસની સામે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ચૌધરીએ ૮ ફેબ્રુઆરીએ રાવલપિંડીના એનએ-૫૭ અને પીપી-૧૯ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જોકે તેને સફળતા મળી ન હતી. અહેવાલ મુજબ, ચૌધરી પીટીઆઈના સંસદીય બાબતોના સભ્ય હતા. રાવલપિંડી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ હત્યા સિટી પોલીસ ઓફિસર (સીપીઓ) ઓફિસની સામે સિવિલ લાઈન્સ વિસ્તારમાં કરવામાં આવી હતી.
પાકિસ્તાનની રાજનીતિ સાથે જોડાયેલા અગાઉના સમાચારો અનુસાર, નવી સરકાર બનાવવા માટે ઈમરાનના હરીફ નેતાઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. અહેવાલ મુજબ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલની પાર્ટીના નેતાઓએ રવિવારે તેમની પ્રથમ બેઠક યોજી હતી. બંને પક્ષો વચ્ચે અડધી મુદત માટે વડા પ્રધાનની નિમણૂક કરવાની સંભાવના પર ચર્ચા થઈ હતી. સૂત્રો મુજબ લાહોરના બિલાવલ હાઉસમાં રવિવારે બેઠક યોજાઈ હતી.
સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં મળેલા જનાદેશને ધ્યાનમાં રાખીને દેશની રાજકીય સ્થિરતા માટે સહકાર આપવા બંને પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા. આ બેઠકમાં પીપીપી-સંસદના અધ્યક્ષ આસિફ અલી ઝરદારી, પીપીપી અધ્યક્ષ બિલાવલ-ભુટ્ટો ઝરદારી અને પીએમએલ-એન તરફથી ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફ હાજર રહ્યા હતા. ૨૦૧૩માં પીએમએલ-એન અને નેશનલ પાર્ટી (એનપી)એ બલૂચિસ્તાનમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરી હતી. બંને પક્ષોના મુખ્યમંત્રી પદના ઉમેદવારોએ પાંચ વર્ષની મુદતના અડધા સમય માટે આ પદ સંભાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech