ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઈ વગવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. તે 12 જુલાઈના રોજ મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લેશે. ગુજરાતના જામનગરમાં પહેલા પ્રી-વેડિંગ પાર્ટી અને પછી ક્રુઝ પાર્ટી બાદ હવે આખો અંબાણી પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે.
નીતા અંબાણીએ કાશીમાં બાબા વિશ્વનાથના ચરણોમાં તેમના પુત્રના લગ્ન માટેનું પહેલું આમંત્રણ કાર્ડ આપ્યું હતું, ત્યારપછી અનંત પોતાના ખાસ મિત્રો અને મહેમાનોને આમંત્રણ આપવા નીકળી પડ્યા છે. અજય દેવગન પછી હવે તે અક્ષય કુમારના ઘરે પહોંચ્યો અને તેને ચાંદીથી બનેલું મંદિર જેવું લગ્નનું કાર્ડ આપ્યું. સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ભગવાન શિવ, ગણેશ અને રામની મૂર્તિઓ છે.
મળતી માહિતી મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ 12મી જુલાઈએ શરૂ થશે અને 14મીએ સમાપ્ત થશે. આ ઉજવણીમાં દેશની મોટી હસ્તીઓ ભાગ લેશે. અનંત પોતે પોતાના લગ્ન માટેના આમંત્રણો વહેંચવા નીકળી પડ્યા છે. પહેલા તે અજય દેવગનના ઘરે પહોંચ્યો અને હવે અક્ષય કુમારના ઘરેથી નીકળતી વખતે તેની તસવીર સામે આવી છે.
અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે ખૂબ જ અનોખું છે. તેમાં ઘણા હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફ્રેમ્સ છે. તે ચાંદીના નાના મંદિર જેવું લાગે છે. બોક્સ ખોલતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં એક મંત્ર વાગવા લાગે છે.
કહેવામાં આવી રહ્યું છે કે પહેલા દિવસે એક શુભ લગ્ન સમારોહ યોજાશે. આ ખાસ દિવસ માટે ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ છે. બીજા દિવસે 13મીએ આશીર્વાદ સમારોહ યોજાશે, જેમાં મહેમાનોએ ભારતીય ઔપચારિક ડ્રેસ પહેરીને આવવાનું રહેશે. 14મી જુલાઈએ લગ્નનું રિસેપ્શન અને મંગલ ઉત્સવ થશે. આ ફંક્શનમાં ભારતીય ડ્રેસ કોડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech