આજે રાજ્યના આઈપીએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાના પોલીસ કમિશ્નરની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે ડો શમશેર સિંઘ ચાર્જ સંભાળશે. તેઓ ગાંધીનગર ખાતે ટેકનીકલ સર્વિસીસ એન્ડ S.C.R.B. વિભાગના એડીજી તરીકે ફરજ બજાવતા હતા.
ઓગસ્ટ 2020માં જ વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત થયેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની ફરી એકવાર બદલી થઈ છે. હવે તેમને પોલીસ ઈન્ક્વારી વિભાગના એડીજી તરીકે ગાંધીનગર ખાતે બદલી આપવામાં આવી છે. આ સાથે તેઓ માનવ અધિકાર વિભાગનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
ગાંધીનગર ખાતેથી એડિશન ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ( ઈન્ક્વાયરી ) વિભાગના બ્રજેશ કુમાર ઝાનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓ માનવ અધિકાર વિભાગના એડીજી તરીકે વધારાનો ચાર્જ સંભાળશે.
વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ડો શમશેર સિંહ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની ગાંધીનગર ખાતે બદલી : પોલીસ ઈન્ક્વારી વિભાગના એડીજી તરીકે ગાંધીનગર ખાતે બદલી, માનવ અધિકાર વિભાગનો વધારાનો ચાર્જ પણ સંભાળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech