વડોદરા હરિણી લેક દુર્ઘટના : પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવાર માટે 2 લાખની સહાય જાહેર

  • January 18, 2024 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા હરિણી લેક દુર્ઘટના મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, "દુઃખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું, ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાથના સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય કરી રહ્યું છે" 


આ ઉપરાંત મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર, ઘયલોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઘયલોને 50 હજારની મદદ અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.


​​​​​​​વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બોટની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસડવામાં આવેલા હોવાથી નાવ પલટી મારી ગઈ હતી. 


સૂત્રો મુજબ બોટમાં 31થી વધુ વિદ્યાર્થીઓ અને  શિક્ષકો સવાર હતા. તો આ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલની વાત કરીએ તો તેની ગણતરી શહેરની નામાંકિત સ્કૂલોમાં થાય છે.  અનેક મોટી-મોટી હસ્તીઓ પણ આ સ્કૂલની મુલાકાત લઈ ચૂકી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application