વડોદરા : હરણી તળાવમાં 27 વિદ્યાર્થીઓ સાથેની બોટ પલટી જતા દુર્ઘટના, અનેકના મોતની આશંકા

  • January 18, 2024 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે વડોદરા સ્થિત હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ તળાવમાં પલટી મારી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. હાલની પ્રાથમિક માહિતી મૂજબ, બોટમાં ક્ષમતા કરવા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવાની માહિતી મળી છે. ફાયર ફાઈટર્સ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.


સૂત્રો મુજબ એક શિક્ષિકાએ જણાવ્યું કે આ બોટમાં અંદાજે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો સવાર હતા. હાની માહિતી મુજબ બોટ પલટી જતાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જો કે આ આંકડો વધી શકે છે. દુર્ઘટનામાં સાત બાળકો ઇજાગ્રસ્ત થયા તેમજ ૫ વિદ્યાર્થી હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હોવાનું સામે આવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application