ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. યુવતીઓએ લાલચને વશ થઈને વર વગર લગ્ન કરી લીધા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં લગ્નનો માહોલ છે. આમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જેની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ ઘટના વિશે સાંભળીને એક તરફ તમે હસશો તો બીજી તરફ સરકારની આ યોજના પરથી વિશ્વાસ ઉઠી જશે.
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં ૫૬૮ દુલ્હનોએ પૈસાની લાલચમાં વર વગર લગ્ન કરી લીધા. હાલ ઘટના વિશે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ૨૫ જાન્યુઆરીએ બની હતી, પરંતુ મામલો હવે સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાન મુજબ આ લગ્નમાં ૫૬૮ કપલ એકસાથે બેસવાના હતા. આ લગ્ન ઉત્તર પ્રદેશ સરકારની યોજના હેઠળ થયા હતા. જેમાં આ લગ્નમાં સામેલ થનાર તમામ યુગલોને યુપી સરકાર તરફથી ૫૧ હજાર રૂપિયા મળવાના હતા.
આ સ્કીમથી આકર્ષાઈને ૫૬૮ યુગલો સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે બન્યું એવું કે લગ્નનો દિવસ આવ્યો, દુલ્હન પણ આવીને લગ્ન મંડપમાં બેસી ગઈ, આ લગ્નને જોવા માટે ઘણા લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ થયું એવું કે યુવતીઓએ પોતે જ હાર પહેરાવીને લગ્ન કરી લીધા. આવું કરવા પાછળનું કારણ શું હશે ? લગ્ન પહેલા આ મહિલાઓને લાલચ આપવામાં આવી હતી કે જો તેઓ આ લગ્નમાં બેસશે તો તેમને ૩૦૦૦ રૂપિયા આપવામાં આવશે. તેથી, જે સ્ત્રીઓ પહેલેથી જ પરિણીત હતી તે પણ વધુ બની ગઈ, જ્યારે કેટલીક સ્ત્રીઓને બાળકો હતા તે પણ પૈસા માટે વધુ બની ગય. ઉત્તર પ્રદેશની આ ચોકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. સીડીઓએ સમગ્ર મામલાની તપાસ માટે ૨૦ સભ્યોની ટીમની રચના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech