રાજુલાના મુખ્ય માર્ગ પર બે આખલાઓનું યુધ્ધ, લોકોમાં નાસભાગ

  • February 28, 2023 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર સૌરાષ્ટ્રમા શહેરી વિસ્તારમાં આખલાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અમરેલી જિલ્લાના મોટાભાગે શહેરના આખલાની દિવસ દરમ્યાન ઘમાસાણ જોવા મળે છે જ્યારે રાજુલા શહેરના મુખ્ય માર્ગો ઉપર બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાવવાના કારણે થોડીવાર માટે અફડા તફડી સર્જાય હતી જોકે અહીં ભયના માહોલ વચ્ચે વધુ કોઈ વાહન અથવા તો રાહદારીને હડફેટે લે તે પહેલાં એક વેપારી યુવાન દ્વારા બંને આખલા વચ્ચે લાકડી ઓ ફટકારી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આખલાઓ છુટા પડ્યા હતા બંને આખલાની વચ્ચેની લડાઈમા કેટલીક વખત લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવે છે ત્યારે અહીં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખલાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકપ્રતિનિધિ ઓ આખલા મુદ્દે આગળ આવી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે
​​​​​​​
અમરેલી શહેર, બાબરા શહેર, સાવરકુંડલા શહેર, વડીયા, કુંકાવાવ, લીલીયા, બગસરા, ખાંભા, ધારી, દામનગર, જાફરાબાદ શહેર, ટીબી સહિત અનેક વિસ્તારોમાં આ આખલા દિવસ દરમ્યાન ઘમાસાણ બોલાવે છે તેના ત્રાસ માંથી મુક્તિ આપવા માટેની માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application