મહારાષ્ટ્રના નાસિકમાં દ્વારકા ફ્લાયઓવર પર ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં લોખંડ ભરેલું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, આ અકસ્માત રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે અયપ્પા મંદિર પાસે થયો હતો. એક અધિકારીએ માહિતી આપી હતી કે, ટેમ્પોમાં 16 મુસાફરો હતા. જેઓ ધાર્મિક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા અને સિડકો તરફ જઈ રહ્યા હતા. ટેમ્પોના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તે લોખંડના સળિયા સાથે અથડાઈ ગયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે, 8માંથી કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. જે સ્થળે અકસ્માત થયો ત્યા ટ્રાફિક વધારે રહે છે. આવી સ્થિતિમાં, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. જેઓએ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બધાને હોસ્પિટલ ખસેડ્યા હતા.
કેટલાક ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં અને કેટલાકની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘણા મુસાફરોની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે, આથી મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે. અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech