પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા હાઈવે પર ગોલુખા મોડ નજીક એક પિકઅપ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કરમાં લગભગ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત લગભગ આજે સવારે 7:45 વાગ્યે થયો હતો.
મળતી માહિતી મુજબ, લગભગ 15 વેઈટર એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફિરોઝપુરથી જલાલાબાદ જઈ રહ્યા હતા ત્યારે પિકઅપ રસ્તાની બાજુમાં ઉભેલા તૂટેલા ટ્રક સાથે અથડાઈ ગયું હતું અને 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ માર્ગ સલામતી વિભાગ ઉપરાંત આસપાસના ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાહનોની ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા.
ડીએસપી સતનામ સિંહે જણાવ્યું હતું કે, ઘટનાની 10 મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકો અને ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ફિરોઝપુર, ફરીદકોટ, જલાલાબાદ અને ગુરુહરસહાઈ મોકલવામાં આવ્યા છે.
આ અકસ્માત ધુમ્મસને કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર થયો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માત સ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech