ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતની ભયાનક ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સોમનાથ-ઉના હાઇવે પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ઊના તરફથી આવતી કાર ઉછળીને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાંથી ત્રણ યુવકોના મોત થયા છે. કોડીનારના ડોળાસા નજીક દુર્ઘટના બની હતી. યુવાનોના મૃતદેહો કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ભયાનક અસ્માતની ઘટના ઉના સોમનાથ હાઈવે પર કોડિનારના ડોળાસા નજીક બની હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે, સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારના પતરા કાપીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે બનાવના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ 108 પણ સ્થળ પર પહોંચી હતી.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલીને યુવકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાતનાં સમયે હાઇવે પર અકસ્માત થતાં સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી, જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ હિંસા વચ્ચે આપ્યું હતુ રાજીનામું
February 13, 2025 08:39 PMજામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ... ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
February 13, 2025 07:31 PMકોગ્રેસ નેતા પરેશ ધાનાણી જામ જોધપુર ની ગલીઓમા ફર્યા...અને કર્યો પ્રચાર
February 13, 2025 07:23 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech