રાજ્યમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ડેપ્યુટી મેયર પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા નીકળ્યા હતા. આ સમય દરમિયાન, રસ્તામાં એક જગ્યાએ કાદવ હતો, જેને પાર કરવા માટે તેઓ ફાયર ઓફિસરના ખભા પર લટક્યા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો ઓછો થયો ત્યારે ભાજપના નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પૂરગ્રસ્ત વિસ્તારમાં આવ્યા હતા. દરમિયાન ડેપ્યુટી મેયર વિવાદમાં ફસાયા છે. જ્યારે તેઓ રોડ પર પહોંચ્યા ત્યારે ફૂટપાથ અને રોડ વચ્ચે 2 ફૂટની જગ્યામાં કાદવ હતો.
કાદવમાંથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર લટકીને બીજી તરફ પહોંચી ગયા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ગંદા ન થઈ જાય અને તેમનું પેન્ટ બગડી ન જાય તે માટે તેમણે સબ ફાયર ઓફિસરના ખભા પર ચડીને કાદવ પાર કર્યો હતો. સુરત શહેરના લિંબાયત વિસ્તારના મીઠીખાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદ બાદ આ વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખાડીના પાણીના સ્તરમાં ઘટાડો થતાં કેટલીક જગ્યાએ લોકોને રાહત મળી હતી. આવી સ્થિતિમાં મનપાની આરોગ્ય ટીમે ચાર્જ સંભાળ્યો હતો. ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જે ફરીથી ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદ વચ્ચે આવેલા પૂરના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જીવલેણ ઘટનાઓ પણ બની હતી. અહીં ગોડાદરા, પરવત ગામ અને સચિન વિસ્તારમાં અલગ-અલગ ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech