મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે અને સબ વે પર પાણી ભરાયા
પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં જોડાવા કરી અપીલ
હાલમાં દક્ષિણના રાજ્યોમાં નવા તોફાન 'મિચોંગ'નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે ૪ ડિસેમ્બરના રોજ તમિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સાથે આ ચક્રવાતી તોફાન પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લીધા છે. આ જ કારણ છે કે પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ ચક્રવાત 'મિચોંગ'ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેનો રદ કરી છે.
અહેવાલ અનુસાર, પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક પ્રશાસનને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણીની જીત પર તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, "ચક્રવાત 'મિચોંગ' પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે.
આ પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી. આઈએમડી અનુસાર, બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા ચક્રવાતી તોફાન 'મિચોંગ'માં પરિવર્તિત થયું. તે ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને ૫ ડિસેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ ચક્રવાતી તોફાનના કારણે ૮૦-૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વાવાઝોડાની અસરને કારણે ચેન્નાઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે અને સબ વે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે. હાલમાં ચક્રવાત ચેન્નાઈથી લગભગ ૧૫૦ કિમી, નેલ્લોરથી ૨૫૦ કિમી, બાપટથી ૩૬૦ કિમી, માછલીપટનમથી ૩૮૦ કિમી દૂર છે. તોફાન આજે દરિયાકાંઠેથી સમાંતર આગળ વધશે. મિચોંગ આવતીકાલે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠાને એક તીવ્ર તોફાન ઝડપે ઓળંગશે અને લેન્ડફોલ કરશે. વાવાઝોડાને કારણે બહારથી આવતા લોકોને હાલમાં ચેન્નાઈમાં જ રહેવું પડેશે કારણ કે ૧૪૪થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઈટ્સ મળવી મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ
September 20, 2024 11:10 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech