દ્વારકાધીશને ઘ્વજા ચડાવવા માટેનું ખુબ જ મહત્વ છે, ત્યારે દ્વારકાધીશજીની ૧૦ વર્ષ માટેની ૧૧ હજાર ઘ્વજા માટે ડબલ એટલે કે ૨૧ હજાર ફોર્મ ભરાયા છે અને હવે ડ્રો મારફત ઘ્વજાજીની ફાળવણી થશે.
દરેકને ન્યાય મળે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ઘ્વજાજીના ડ્રો સમયે પોરબંદરના ધારાસભ્ય રમેશભાઇ ધડુક પણ હાજર રહયા હતા, તમામ ફોર્મ એકઠા કરવામાં આવ્યા હતા અને તેમાથી ક્રમવાઇઝ ડ્રો કરવામાં આવશે, દ્વારકા મંદિર આસ્થાનું પ્રતિક છે ત્યારે ઘ્વજાજીનો લ્હાવો લેવો એ પણ એક સૌભાગ્ય ગણાય છે ત્યારે દ્વારકામાં ઘ્વજાજીના બુકીંગ માટે ભકતોમાં ભારે ઘસારો થયો છે.
દ્વારકામાં દરરોજ ૫ ઘ્વજાજી ચડાવવામાં આવે છે, દેશ વિદેશમાંથી આ ઘ્વજાજી ચડાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે ગઇકાલે શાસ્ત્રોકતવિધીથી ભગવાનની આરતી કર્યા બાદ સાંસદની હાજરીમાં ઘ્વજાજી માટેનો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતીના તેમજ મંદિરના પુજારીઓ પણ હાજર રહયા હતા, સમગ્ર વ્યવસ્થા પારદર્શક બની રહે તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં જે ભકતોને બુકીંગમાં નંબર લાગે તે માટે ઘ્વજાજીની ૧૦ વર્ષની પ્રક્રિયા શ કરવામાં આવી હતી, આમ લાંબા સમય બાદ ઘ્વજાજીનું બુકીંગ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech