સ્પોટ ફિક્સિંગ માટે આજીવન પ્રતિબંધ ની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના લેગ સ્પિનર દાનિશ કનેરિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ'ના આગામી ચેરમેન બનવા માટે રવિવારે સૌરવ ગાંગુલીને સમર્થન કર્યું હતું અને તેને જણાવ્યું હતું કે તેઓ પૂર્વ ભારતીય કપ્તાન આઇસીસીના ટોચના પદ પર પસંદ કરવામાં આવે તો તેમને પોતાના નામ પર લાગેલો દાગ સાફ કરવાની આશા છે.
એક ક્રિકેટર વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન કનેરીયાએ આવું જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેઓ આ બાબતમાં લડાઈ લડી રહ્યા છે આ માટે તેઓને આશા બંધાઈ છે કે જો ગાંગુલી આ હોદ્દા પર આવશે તો તેમના વિશે જરૂર વિચારણા કરશે અને તેઓના નામ પર લાગેલો કલંક દુર કરવામાં તેમની મદદ કરશે અને પોતે ક્રિકેટને કશું પરત આપી શકે.
દાનિશ એ આગળ જણાવ્યું હતું કે આઈસીસીના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવશે તો તે નો અવાજ ગાંગુલી બની શકશે અને વિશ્વભરમાં ક્રિકેટરોની જે સમસ્યા છે તે નિવારવામાં ગાંગુલી લોકોની વાત સાંભળી ને ન્યાય અપાવી શકે છે.
વિશ્વભરનાં તમામ ક્રિકેટરો માટે આઈસીસીના ચેરમેન પદ માટે ગાંગુલી પ્રથમ પસંદગી હોવાનું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech