અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફથી પ્રભાવિત અર્થતંત્રને ટેકો આપવા માટે RBI એ બુધવારે સતત બીજી વખત તેના મુખ્ય વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો. દર ઘટાડા પછી, રેપો રેટ હવે 6.25% થી ઘટાડીને 6% થયો છે, જેનાથી ઘર, ઓટો અને કોર્પોરેટ લોન લેનારાઓને રાહત મળશે. હવે આ દરમિયાન, દેશની ચાર PSU બેંકોએ તેમના લોન દર ઘટાડ્યા છે. આનાથી તેમના ગ્રાહકો અને દેવાદારોને રાહત મળશે.
મળતી માહિતી મુજબ, દેશની ચાર બેંકો પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક અને યુકો બેંકે RBI દ્વારા પોલિસી રેટ ઘટાડવાના નિર્ણયના કલાકોમાં જ ધિરાણ દરમાં 35 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પગલું હાલના તેમજ નવા લોનધાકરો માટે મદદરૂપ સાબિત થશે. અન્ય બેંકો પણ ટૂંક સમયમાં આવી જ જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન બેંકે જણાવ્યું હતું કે તે 11 એપ્રિલથી તેના રેપો-લિંક્ડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (RBLR) માં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 8.70 ટકા કરશે. દરમિયાન, પીએનબીએ 10 એપ્રિલથી અમલમાં આવતા RBLRને 9.10 ટકાથી સુધારીને 8.85 ટકા કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયાનો નવો RBLR 8.85 ટકા છે, જ્યારે પહેલા તે 9.10 ટકા હતો. બેંક ઓફ ઈન્ડિયાએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નવો દર અમલમાં આવ્યો છે. યુકો બેંકે જણાવ્યું હતું કે તેણે રેપો-લિંક્ડ રેટ ઘટાડીને 8.8 ટકા કર્યો છે, જે ગુરુવારથી અમલમાં આવશે.
બેંકો માટે RBI પાસેથી લોન લેવી સસ્તી થઈ ગઈ
રેપો રેટ એ વ્યાજ દર છે. જેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે. જ્યારે RBI રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય લોકો અને અર્થતંત્ર પર પડે છે. રેપો રેટમાં ઘટાડાને કારણે, બેંકો માટે RBI પાસેથી લોન લેવી સસ્તી થઈ ગઈ છે, જેના કારણે બેંકો પણ તેમના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું શરૂ કરે છે. આના કારણે હોમ લોન, પર્સનલ લોન, કાર લોન જેવી લોન સસ્તી થાય છે અને લોકોના EMI ઘટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech