અમેરિકાનો કારભાર સંભાળતાની સાથે જ પ્રમુખે આકરા નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે અને તાજેતરમાં જ ટ્રમ્પએ એવું કહ્યું કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી લેશે અને તેનો પુનર્વિકાસ કરશે. તેમણે પેલેસ્ટિનિયન લોકોને અન્ય દેશોમાં વસાવવાની યોજના વિશે પણ વાત કરી.તેમણે કહ્યું કે ગાઝા પર અમેરિકાને અધિકાર હોવા જોઈએ, પેલેસ્ટિનિયનોનું અહીં કોઈ ભવિષ્ય નથી. ટ્રમ્પ્ના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે અમેરિકા આ વિસ્તારમાં નાશ પામેલી ઇમારતોનો કાટમાળ સાફ કરશે અને ત્યારબાદ આર્થિક વિકાસ તરફ કામ કરશે.નોંધનીય છે કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાર અમેરિકાની મુલાકાતે આવ્યા છે ત્યારે ટ્રમ્પે આ સૂચક નિવેદન કર્યું છે.
જોકે, ટ્રમ્પે આ યોજના પર કામ કરવાની પદ્ધતિ કે તેના સંચાલન અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. તેમણે એ જણાવ્યું ન હતું કે અમેરિકા આ વિસ્તારનું સંચાલન કેવી રીતે કરશે અથવા પેલેસ્ટિનિયન લોકોના પુનર્વસન માટે કઈ યોજનાઓ બનાવવામાં આવશે.
જ્યારે ટ્રમ્પને ગાઝા પટ્ટીના ધ્વંસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ગાઝા ક્યારેય સફળ થયું નથી. તે સંપૂર્ણ ધ્વંસ સ્થળ છે. જો આપણે યોગ્ય સ્થાન શોધી શકીએ અને ત્યાં ઘણા પૈસા લગાવી શકીએ અને તેને સુંદર બનાવી શકીએ, તો તે ગાઝા પાછા જવા કરતાં વધુ સારું રહેશે. મને લાગે છે કે અહીંના લોકો ગાઝા છોડવા માટે ઉત્સાહિત હશે. ટ્રમ્પ્નું પેલેસ્ટાઇન પરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાર અમેરિકાની મુલાકાતે આવ્યા છે.
સૈનિકો તૈનાત કરવાની શક્યતા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ પ્રદેશમાં કોઈપણ સુરક્ષા પરિસ્થિતિને મજબૂત બનાવવા માટે યુએસ સૈનિકો તૈનાત કરી શકાય છે, ત્યારે ટ્રમ્પે કહ્યું, અમે જે જરી હશે તે કરીશું. જો જરી હશે, તો અમે તે કરીશું.
ગાઝા પટ્ટીમાં વર્તમાન પરિસ્થિતિ
ગાઝા પટ્ટી દાયકાઓથી સંઘર્ષનું ક્ષેત્ર રહ્યું છે, જ્યાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વારંવાર અથડામણો થતી રહે છે. ટ્રમ્પ્ની યોજના પર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ અને જટિલ મુદ્દો છે. ડોનાલ્ડ ટ્રમ્પ્ના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ગાઝા પટ્ટી જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તાર અંગે આપવામાં આવેલા આ નિવેદનની પ્રતિક્રિયા આગામી સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. હાલમાં, આ યોજનાના અમલીકરણ અંગે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech