જળ અને માટી વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ સંતોને ભાવનગરના રાજવી પરિવાર દ્વારા સોંપવામાં આવી
અયોધ્યા ખાતે નિર્માણ થનાર રામ મંદિરનાં બાંધકામની તૈયારી થઈ રહી છે ત્યારે તેમાં સમગ્ર ભારતનાં પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્રિત કરી અયોધ્યા પહોંચાડવામાં આવનાર છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના મહેલ નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવાનું આ અભિયાન અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે.
આ મુજબ અહીંથી જળ અને માટી વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ સંતોને ભાવનગરના રાજવી પરિવાર દ્વારા સોંપવામાં આવી હતી.
ભાવનગર સ્ટેટ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેઓ એ અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને દેશમાં પ્રથમ ભાવનગર રાજ્ય સમર્પિત કરીને રાષ્ટ્ર ભક્તિનું અનુકરણીય કામ કરેલ હોય તેવા સ્થાનની પવિત્ર માટી અને જળ આજ રોજ અર્પણ કરવામાં આવી હતી. આ સમયે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તેમજ યુવરાજ જયવીરરાજસિંહજી સહિત સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. આ ઉપરાંત ભાવનગરના પૂર્વ સાંસદ રાજુ રાણા પણ હાજર રહ્યા હતા. અહીંથી જળ અને માટીનાં કુંભ સંતોને આપવામાં આવ્યા હતા જે આગામી દિવસોમાં અયોધ્યા મંદિર માટે બનવાયેલી સમિતિને સોંપવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On ApplicationOMG : દુનિયાની આ સૌથી મોટી એજન્સીને સાઈન કરી છે દીપિકા
January 23, 2021 11:08 AMજૈશ દ્વારા ફરી પુલવામાં જેવા હુમલાનું કાવતરૂ
January 23, 2021 11:05 AMપારડી ગામની મહિલાઓએ પાણીની સમસ્યા અંગે પૂછતાં મંત્રી કુંવરજી બાવળિયાએ ચાલતી પકડી...
January 23, 2021 11:05 AMઆલોચના :અલીની એક્શનનું બીગ બોસના ચાહકો આપી રહ્યા છે રીએક્શન, વાંચો ક્લિક કરીને
January 23, 2021 11:04 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech