જો રાજકોટ જિલ્લામાં ૧૦ દિવસમાં માર્ગેા રિપેર નહીં થાય તો તાલુકાઓમાં દેખાવો

  • September 12, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લ ામાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાની થઈ છે અને રાજકોટ જિલ્લ ાના ગામડાઓને જોડતા રસ્તાઓ સાવ ધોવાઈ ગયા છે. ખાડાઓ પડી ગયા છે. ખેડૂતોને તાત્કાલીકપણે પાક નુકસાની પેકેજ ચુકવવા અને રસ્તાઓ રીપેર કરવા માટે રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કસ્તુરબા ધામ સીટના તાલુકા પંચાયતના સભ્ય નીશીથ ખુંટની આગેવાનીમાં આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.
કોંગ્રેસ અગ્રણીઓ દ્રારા રજુઆત સાથે ચીમકી ઉચ્ચારાઈ છે કે, ગામડાના લોકોને વરસાદના કારણે બેવડો માર પડયો છે. પાકનું ધોવાણ થયું છે બીજી તરફ રસ્તાઓ ભાંગીને ભુકકો થઈ ગયા છે. એક ગામથી બીજા ગામ સુધી કે,નજીકના તાલુકા શહેરના વ્યવહારોપણ અટકયા છે. ૧૦ દિવસમાં પાક પેકેજ ચુકવવા અને રસ્તાઓ રીપેર કરાવવા માટે અલ્ટીમેટમ અપાયંું છે. જો આવું નહીં બને તો તાલુકાવાઈઝ સીટ પર ગ્રામજનોને સાથે રાખી ઉપવાસ આંદોલન વિરોધ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application